મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા


SHARE







મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા

મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ સો ટકા ભરાઈ ગયો હોવાના કારણે ડેમના એક દરવાજાને એક ઇંચ જેટલો ખોલીને તેમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ગઈકાલે દિવસ દરમિયાન મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે વરસાદી પાણી નદી નાળા મારફતે સ્થાનિક જળાશયોમાં વરસાદી પાણી આવતું હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં વરસાદી પાણીની આવક થવાના કારણે આ ડેમ રૂલ લેવલ મુજબ હાલમાં ભરાઈ ગયો હોવાથી તે ડેમના દરવાજાને ખોલવામાં આવેલ છે અને સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગત પ્રમાણે હાલમાં આ ડેમના એક દરવાજાને એક ઇંચ સુધી ગઇકાલે રાતના 10:30 કલાકથી ખોલવામાં આવેલ છે અને આજના દિવસે સવારથી વરસાદ નથી પરંતુ નદી મારફતે ડેમમાં પાણી આવી રહ્યુ હોવાથી રૂલ લેવલ મુજબ ડેમ ભરાયેલ હોવાના કારણે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે, નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યો ત્યારે પહેલા મોરબી તાલુકાના સાત અને માળિયા તાલુકાના ત્રણ આમ કુલ મળીને 10 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી હતી






Latest News