મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ થી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીએ તેના વકીલ મારફતે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી મૂકી હતી જે જામીન અરજીને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

હાલમાં વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગત તા. 11/4/25 ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઇ મકવાણા એ મોરબી સીટી બી ડિવિઝન માં કુલ 11 ઈસમો સામે બી એન એસ કલમ 108 તથા ગુજરાત નાણાં ધીરધાર ની કલમ 40,42  અન્વયે ફરિયાદ આપેલી હતી કે ફરિયાદીના મોટા ભાઈ નિલેશભાઈ હરેશભાઇ મકવાણાએ હિતેશ માર્કેટીંગની ઓફિસે આરોપીના દબાણના કારણે જંતુનાસક દવા પી પોતે આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટના આધારે  પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમાલ વિગેરે 11 ઈસમો વિરુદ્દ ફરિયાદ આપેલ હતી જેથી ફરિયાદ ના આધારે આરોપી પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ ને પોલીસ અટક કરી કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો આ આરોપીએ તેના વકીલ મયુર પી. પુજારા મારફતે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલ ની દલીલ સાંભળી આરોપીને સરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને આ કેસમાં આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ તરફે મોરબીના વકીલ મયુર પુજારા રોકાયેલ હતા






Latest News