મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ


SHARE











મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સર્વત્ર ઉમાશંકર અંતર્ગત કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને કોલેજના સેમિનાર હોલ ખાતે કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સંયોજક ડો.રામભાઈ વારોતરીયાએ અકાદમીના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. અને વક્તા ડો. સતીશભાઈ ડાંગરે ઉમાશંકર જોશીની એકાંકીઓ વિશે રસાળ શૈલીમાં પોતાનું તજજ્ઞ વક્તવ્ય આપેલ હતુ. મોરબીના જાણીતા કવિ લેખક સંજય બાપોદરીયાએ ઉમાશંકર જોશીની કાવ્ય સૃષ્ટિ અંતર્ગત  ઉત્તમ કવિતાઓ રજૂ કરી હતી. તો કાર્યક્રમ પ્રિન્સિપાલ પ્રા. કે.આર.દંગીના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ પરિવાર તથા મોરબીના સાહિત્ય રસીકો ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમની આભાર વિધિ ડો.રેખાબેને કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન ડૉ.કવિતાબા ઝાલાએ કર્યું હતું. 






Latest News