મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત


SHARE









અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત

મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે એક અનોખો ઇતિહાસ રચીને આજીવન સમરસ એટલે કે સ્વરાજથી આજ દિવસ સુધી ગામમાં ક્યારેય ચૂંટણી થયેલ નથી માત્ર સિલેક્શનથી સરપર ચૂંટાય છે તે આ લક્ષ્મીવાસ ગામની વિશિષ્ટ સિદ્ધિ છે.

સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી લક્ષ્મી માતાજીની વ્યાખ્યામાં આવીને અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે અને આખી પંચાયતની બોડી બનાવેલ છે સભ્ય તરીકે વોર્ડનં.૧ હંસાબેન શાંતિલાલ સંઘાણી વોર્ડનં.૨ અનસોયાબેન  નારણભાઈ અગોલા વોર્ડનં.૩ લતાબેન રમણીકભાઈ કાવર  વોર્ડનં. ગીતાબેન અશોકભાઈ કાવર  વોર્ડનં.૫ વિજયાબેન નરભેરામભાઈ કાવર વોર્ડનં.૬ મંજુલાબેન મનસુખભાઇ સંઘાણી વોર્ડનં.૭ ચંપાબેન સુરેશભાઈ ગઢીયાની આખી સ્ત્રી બોડીની વરણી કરવામાં આવેલ છે.

 અગાઉ પણ ૫વર્ષ પહેલાં પણ સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવન કાવર હતા ત્યારે પણ આખી બોડી મહિલા બનાવેલ હતી આજે પણ મહિલા બોડી બનાવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે અગાઉ જ્યારે લાભુબેન પ્રાણજીવન કાવર સરપંચ હતા ત્યારે તેમને ગામમાં સારા કામો કરીને ગામને એવોર્ડ પણ મેળવેલ હતા તેમાં (૧)આદર્શ ગામનો એવોર્ડ (૨) શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ (૩) નિર્મળ ગ્રામનો એવોર્ડ મેળવેલ હતો આ એવોર્ડ જે તે વખતના રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલના હસ્તે ચંદીગઢ ખાતે મેળવેલ હતો હવે જ્યારે ફરીથી સરપંચ તરીકે આવતા તેઓ જણાવે છે કે ગામમાં વિકાસના અધુરા કામો તેઓ ગામની જરૂરિયાત મુજબના જે તે કામ સરકારની ગ્રાન્ટમાંથી પુરા કરાવશે તેવી તેઓ લક્ષ્મીવાસને હૈયા ધારણ આપી છે અને ગામની જે એકતા અને અખંડિતતાને તે કાયમ માટે જાળવી રાખશે






Latest News