મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં બે લાખ લઈને પરણીને આવેલ મહિલા ત્રણ દિવસમાં ભાગી ગઈ !


SHARE







મોરબીમાં બે લાખ લઈને પરણીને આવેલ મહિલા ત્રણ દિવસમાં ભાગી ગઈ !

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આઘેડના દીકરાના લગ્ન કરાવવા માટે થઈને તેની પાસેથી બે લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુંદરપુરા ગામે રહેતી મહિલાની દીકરી સાથે યુવાનના ફુલહાર વિધિ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા જો કે, ત્રણ દિવસ બાદ તે મહિલા પોતાના પિયરમાં આંટો દેવા જવાનું કહીને ગઈ હતી અને ત્યારબાદ પાછી આવી ન હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બે મહિલાઓ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત, ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ નવઘણભાઈ ડાભી (52)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કનુભાઈ રહે, શિકારપુરાના પાટીયા પાસે, હરેશભાઈ, મીનાક્ષીબેન અને તેની માતા માતા પ્રવિણાબેન ઝાલા રહે બંને સુંદરપુરા તાલુકો ઉમરેઠ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, એપ્રિલ 2024 માં ફરિયાદીના દીકરા કાનજીના લગ્ન આરોપી કનુભાઈ અને હરેશભાઈએ ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લઈને પ્રવિણાબેન ઝાલાની દીકરી મીનાક્ષી સાથે ફૂલહાર વિધિથી લગ્ન કરાવ્યા હતા અને લગ્નના ત્રણ દિવસ બાદ ફરિયાદીના ઘરેથી ફરિયાદીના દીકરાની વહુ મીનાક્ષીએ પિયરમાં આટો દેવા જવાનું કહ્યું હતું અને ત્યારબાદ તે પાછી આવી ન હતી જેથી ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લઈને તેને રૂપિયા પાછા આપવામાં આવ્યા ન હતા અને તેની સાથે વિશ્વાસઘાત તથા ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News