મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ


SHARE











કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ

મોરબીના માળીયા ફાટકના બ્રિજ પાસેથી પસાર થઈ રહેલ અશોક લેલન ગાડીને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં કુરતાપૂર્વક 28 જેટલા ઘેટાને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે ઘેટાંને બચાવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી ગૌરક્ષક દળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ચોટીલા ગૌરક્ષક ટીમ, લીંબડી ગૌરક્ષક ટીમ, લીમડી ગૌરક્ષક ટીમ, ધાંગધ્રા ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, વિરમગામ ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી વાહનમાં અબોલ જીવને ભરીને મોરબીના કતલખાને લેવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ફાટક પાસે ઓવરબ્રિજ નજીક ઉમિયા પરોઠા સામેથી મળેલ બાતમી મુજબનું અશોક લેલન વાહન નંબર જીજે 12 બીએક્સ 8323 પસાર થઈ રહ્યું હતું જે વાહનને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે વાહનમાં કુલ મળીને 28 જેટલા ઘેટાને ક્રૂરતા પૂર્વક બાંધીને ઘાસચારની કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ કૈલાશ પાર્કમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કંઝારીયા (32)એ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે વાહન ચાલક હુસેનશા ઇબ્રાહીમશા શેખ (42) તથા વેરશીભાઈ સુજાભાઈ કરોતરા રહે બંને મોખાણા વાળાની સામે ગુનો નોંધ્યો છે અને હાલમાં પોલીસે વાહન ચાલકને પકડીને બીજા આરોપીને પકડવા માટેની આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News