હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ


SHARE







કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ

મોરબીના માળીયા ફાટકના બ્રિજ પાસેથી પસાર થઈ રહેલ અશોક લેલન ગાડીને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં કુરતાપૂર્વક 28 જેટલા ઘેટાને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે ઘેટાંને બચાવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી ગૌરક્ષક દળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ચોટીલા ગૌરક્ષક ટીમ, લીંબડી ગૌરક્ષક ટીમ, લીમડી ગૌરક્ષક ટીમ, ધાંગધ્રા ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, વિરમગામ ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી વાહનમાં અબોલ જીવને ભરીને મોરબીના કતલખાને લેવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ફાટક પાસે ઓવરબ્રિજ નજીક ઉમિયા પરોઠા સામેથી મળેલ બાતમી મુજબનું અશોક લેલન વાહન નંબર જીજે 12 બીએક્સ 8323 પસાર થઈ રહ્યું હતું જે વાહનને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે વાહનમાં કુલ મળીને 28 જેટલા ઘેટાને ક્રૂરતા પૂર્વક બાંધીને ઘાસચારની કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ કૈલાશ પાર્કમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કંઝારીયા (32)એ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે વાહન ચાલક હુસેનશા ઇબ્રાહીમશા શેખ (42) તથા વેરશીભાઈ સુજાભાઈ કરોતરા રહે બંને મોખાણા વાળાની સામે ગુનો નોંધ્યો છે અને હાલમાં પોલીસે વાહન ચાલકને પકડીને બીજા આરોપીને પકડવા માટેની આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News