મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ


SHARE







કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ

મોરબીના માળીયા ફાટકના બ્રિજ પાસેથી પસાર થઈ રહેલ અશોક લેલન ગાડીને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં કુરતાપૂર્વક 28 જેટલા ઘેટાને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે ઘેટાંને બચાવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી ગૌરક્ષક દળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ચોટીલા ગૌરક્ષક ટીમ, લીંબડી ગૌરક્ષક ટીમ, લીમડી ગૌરક્ષક ટીમ, ધાંગધ્રા ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, વિરમગામ ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી વાહનમાં અબોલ જીવને ભરીને મોરબીના કતલખાને લેવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ફાટક પાસે ઓવરબ્રિજ નજીક ઉમિયા પરોઠા સામેથી મળેલ બાતમી મુજબનું અશોક લેલન વાહન નંબર જીજે 12 બીએક્સ 8323 પસાર થઈ રહ્યું હતું જે વાહનને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે વાહનમાં કુલ મળીને 28 જેટલા ઘેટાને ક્રૂરતા પૂર્વક બાંધીને ઘાસચારની કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ કૈલાશ પાર્કમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કંઝારીયા (32)એ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે વાહન ચાલક હુસેનશા ઇબ્રાહીમશા શેખ (42) તથા વેરશીભાઈ સુજાભાઈ કરોતરા રહે બંને મોખાણા વાળાની સામે ગુનો નોંધ્યો છે અને હાલમાં પોલીસે વાહન ચાલકને પકડીને બીજા આરોપીને પકડવા માટેની આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News