મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના નવાગામના ખેડૂતને બોગસ બીટી કપાસનું બિયારણ ધાબડવામાં આવતા 84 લાખનું ખેતીમાં નુકસાન


SHARE







માળીયા મીયાણાના નવાગામના ખેડૂતને બોગસ બીટી કપાસનું બિયારણ ધાબડવામાં આવતા 84 લાખનું ખેતીમાં નુકસાન

માળીયા મીયાણા તાલુકાના નવાગામે ખેતીની જમીન ધરાવતા યુવાને પોતાના ખેતરમાં બીટી કપાસનુ વાવેતર કરવું હોય બિયારણ સર્ટિફાઇડ છે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને 381 થેલી બીટી કપાસના બિયારણ વેચાણ કરવામાં આવ્યું હતું જોકે યુવાનને બોગસ બીટી કપાસનું બિયારણ આપવામાં આવ્યું હોવાથી તેને ખેતીમાં 84 લાખની નુકસાની થયેલ હોય હાલમાં ભોગ બનેલા ખેડૂતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે ગુનો નોંધી આગાહી કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના નવા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર નગર- 1વિરાટ ટાવર બ્લોક નંબર 102 માં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયા (48)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમરાભાઇ સગરામભાઇ રબારી રહે. કુંડલી તાલુકો રાણપુર જીલ્લો બોટાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2024 ના મે મહિનામાં આરોપીએ ફરિયાદીને બીટી કપાસનું બિયારણ સર્ટિફાઇડ છે તેવું કહીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને બોગસ બીટી કપાસના બિયારણની 381 થેલી વેચાણ કરવામાં આવી હતી જેનો ફરિયાદી એ પોતાની ખેતીમાં ઉપયોગ કરતા તેને ખેતીમાં 84 લાખનું નુકસાન થયેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News