માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત


SHARE











મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત

મોરબીના ખરેડા ગામે રહેતા યુવાને છેલ્લા છ સાત દિવસથી બીમાર હોય ભૂખ્યા પેટે દવા પી લેતા તેને ઉલ્ટી થવા લાગી હતી અને અર્ધબેભાન અવસ્થામાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું બીમારી સબબ મોત નીપજ્યું છે જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સુરેશભાઈ છગનભાઈ બજાણીયા (42) નામનો યુવાન છેલ્લા છ સાત દિવસથી બીમાર હોય તેણે ભૂખ્યા પેટે દવા પી લીધી હતી અને સમયસર જમતો ન હતો જેથી તે યુવાનને ઉલ્ટી થવા લાગતા તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન ગઈકાલે બપોરે દોઢે વાગ્યાના અરસામાં તે યુવાનનું બીમારી સબબ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ વસંત પાર્કમાં રહેતા જીગ્નેશભાઈ જયંતીલાલ હડીયલની 21 વર્ષની દીકરી દિયાબેન પોતાના ઘરે હતી ત્યારે તેને માથામાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હળવદમાં આવેલ નારાયણ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News