મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા
SHARE
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળની સામાન્ય સભા તા।૭ ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ-મોરબી ખાતે મળેલ હતી.જેમાં રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ દિનેશભાઈ ભુવા, સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન એન.ડી.જાડેજા,પૂર્વ બોર્ડ મેમ્બર પ્રિયવદન કોરાટ, રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ ટી.ડી.પટેલ, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શૈલેષભાઈ વોરા, રાજ્ય શાળા સંચાલક મંડળના મંત્રી અશોકભાઈ રામ, જુનાગઢ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ નરસિંહભાઈ માંડવીયા, જુનાગઢ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા બાવનજીભાઈ પટોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા, મહામંત્રી તરીકે મહેન્દ્રસિંહ ઝાલા, અધ્યક્ષ તરીકે એ.કે.પટેલ, તથા નાયબ અધ્યક્ષ તરીકે સુમંતભાઈ રોકડ, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કન્વીનર તરીકે મનોજભાઈ પનારાની વરણી કરવામાં આવી હતી.તેમ મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.વ









