મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા
મોરબી ગાયત્રી પરિવાર દ્વારા વાત્સલ્ય વિધાપીઠ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી ગાયત્રી પરિવાર દ્વારા વાત્સલ્ય વિધાપીઠ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા વાત્સલ્ય વિધાપીઠ મોરબી મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા પાર્થભાઈ અને ગડારા વાત્સલ્યભાઈએ હાજર રહીને બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિધાર્થીઓ પાસે પોતે વ્યસન ન કરે તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના ટ્રસ્ટી ઘેટિયા યોગેશભાઈ, બી.એ.ગામી અને પ્રિન્સીપાલ રાવલ નીરવભાઈ તેમજ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.ગામીભાઇએ બાળકોને ખાસ મોબાઈલના વ્યસનથી સાવચેત કર્યા હતા.કાર્યક્રમને અંતે વ્યસન મુક્તિની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.









