માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ


SHARE











મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબી જિલ્લામાં મોરબી ડીસ્ટ્રીકટ નેટવર્ક પીપલ્સ વીથ એચ.આઈ.વી. એઈડ્સ કંટ્રોલ (એમ.ડી.એન.પી) દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડો.ધનસુખ અજાણા તેમજ પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર પિયુષભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એ.આર.ટી. ની દવા લેતા તમામ સગર્ભા બહેનો, વિધવા બહેનો તથા બાળકોને રાશન કીટ વિતરણ કરવા માટેનું જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમ માટે (એમ.ડી.એન.પી) મોરબીના સભ્યો રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઇ નિમાવત, ભાવનાબેન ચાવડા તથા કૃણાલભાઈ ત્રિવેદીએ સિરામિક ગ્રુપ તેમજ લોકલ દાતાઓ શોધી દાતાશ્રીઓ મારફત ૫૦ જેટલી કિટ મેળવીને દર્દીઓને આપી હતી.આ ઉપરાંત આગામી સમયમાં આવતા દિવાળીના તહેવાર નિમિત્તે પણ સંસ્થા દ્વારા કીટ વિતરણનું આયોજન કરવાનું હોય મોરબી જિલ્લાના દાતાશ્રીઓને અપીલ છે કે વધુમાં વધુ કીટ આપીને સહભાગી બને અને દાન-સહયોગ માટે રાજેશભાઈ લાલવાણી (મો.૭૫૬૭૫ ૧૭૪૬૨), રાજેશભાઈ જાની (મો.૯૯૯૮૭ ૩૨૪૬૦), જયદીપભાઇ નિમાવત (મો.૯૪૨૮૯ ૧૫૫૦૬), ભાવનાબેન ચાવડા (મો.૭૫૬૭૦ ૬૨૭૭૨) અથવા કૃણાલભાઈ ત્રિવેદી (મો.૯૯૧૩૧૧૯૮૭૯) સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે






Latest News