માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સાહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અકસ્માતના બનાવમાં ભડથું થઈ ગયેલ ચાર વ્યક્તિના ડીએનએ કરીને પરિવારોને મૃતદેહ સોંપશે


SHARE















માળીયા (મી) નજીક અકસ્માતના બનાવમાં ભડથું થઈ ગયેલ ચાર વ્યક્તિના ડીએનએ કરીને પરિવારોને મૃતદેહ સોંપશે

માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં ત્રિપલ અકસ્માત થયો હતો જે બનાવમાં બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે જો કે,  ચારેય મૃતકોની ઓળખ મળી ગયેલ છે પરંતુ તમામની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરીને મૃતકના પરિવારને મૃતકોની બોડી આપવા માટેની કાર્યાવહી કારવામાં આવી રહી છે

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ગુરુવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો અને તે બનાવમાં જુનાગઢમાં આવેલ આહીર બોર્ડિંગમાંથી રક્ષાબંધન અને જન્માષ્ટમીનું વેકેશન પડ્યું હોવાથી આર્ટિકા કારમાં ગાંધીધામ બાજુ પોતાના વતનમાં જતાં બાળકો બેઠેલા હતા તે આર્ટિકા કાર અને ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી.

આ બનાવમાં ટ્રક ટ્રેલરના ડ્રાઈવર શીવરામ મંગલરામ નાઈ (27) અને કાલીનર કિશન રામલાલ નાયક (21) રહે. બંને બિકાનેર રાજસ્થાન તેમજ રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) અને જૈમીન જગદીશભાઈ બાબરીયા (15) રહે. બંને મીઠી રોહર, ગાંધીધામ વાળા ગાડીમાં જ ભડથું થઈ ગયા હતા જેથી તે ચારેયના મોત નીપજયાં હતા. જો કે, આ બનાવમાં ક્રિષ્ના ગોપાલભાઈ જરૂ (17), શિવમ નારણભાઈ બાપોદરા (17), મીત રમેશભાઈ બાબરીયા (13), વિષ્ણુભાઈ દેવરાજભાઈ ડાંગર (15), શાંતિલાલ વેલજીભાઈ આહિર (40) અને ગૌતમ બિરબલરામ (33) ને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

આ બનાવને લઈને ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કચ્છા બાજુથી આવતા કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં તેનું વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવી ગયું હતું ત્યારે આર્ટિકા કાર અને ટ્રેલર બંને મોરબીથી કચ્છ તરફ જતાં હતા તે વાહનના ચાલકોએ પોતાના વાહનોને કંટ્રોલ કરવા જતાં સમય અકસ્માત થયો હતો અને ટ્રેલરની ડીઝલ ટેન્ક તૂટી જવાના લીધે આગ લાગી હતી અને આ બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે અને મૃતકના નામ મળી ગયા છે પરંતુ તેઓની બોડી ભડથું થઈ ગયેલ છે જેથી કરીને ડીએનએ કરીને તેઓના વાળીને બોડી આપવામાં આવશે તેવી જાણવા મળ્યું છે. 




Latest News