મોરબીના સરદારબાગ હેડવર્કસથી પાણી વિતરણ માટે નવુ નેટવર્ક ઊભું કરવા ૨૧.૧૪ કરોડનું કામ મંજૂર
મોરબીના ડાયમંડનગર (આમરણ) અને ભક્તિનગર ગામે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા-મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન
SHARE








મોરબીના ડાયમંડનગર (આમરણ) અને ભક્તિનગર ગામે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા-મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન
ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડનગર (આમરણ)માં જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશની થી શણગારી દેવામાં આવી છે તેમજ તા.૧૬ ને શનીવારે રાત્રે 8 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા મો ઐતિહાસીક શણગાર થી બનાવેલ રથ હશે. આ શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને ડાયમંડનગરના માર્ગોમા શોભાયાત્રા રૂટ પર ભગવાનશ્રી ક્રુષ્ણ અને બલરામ દ્વારા રૂક્ષ્મણી મટુકી, ગોપી મટુકી, વૃંદા મટુકી, યશોદા મટુકી, મીરા મટુકી, બાસૂરી મટુકી, રાધે મટુકી, સુદામા મટુકી, યમુના મટુકી, માધવ મટુકી, ગોપાલ મટુકી, તુલસી મટુકી, કેશવ મટુકી એમ કુલ ૧૩ મટુકીફોડ કરવામાં આવશે અને રાત્રે ૧૧:૩૦ કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે ત્યાં રાસ ગરબા તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે મુખ્ય એટલે કે કૃષ્ણમ્ મટુકી ફોડની સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી અને મહાઆરતી જેવા કાર્યક્રમ કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામ તેમજ બહારગામ ના ધર્મ પ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભક્તિનગર ગામે જન્માષ્ટમી ઉજવાશે
ભક્તિનગર ગામે રામજીમંદિર ખાતે તા.૧૬ ના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ, મટકી ફોડ તથા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ લેવા શોભાયાત્રા સવારે ૮:૩૦ કલાકે, રાસ ગરબા સવારે ૧૦ કલાકે, મટકી ફોડ બપોરે ૧૨ કલાકે યોજાશે. જેમાં જોડાવા ગામના બજરંગ યુવક મંડળે સૌને આમંત્રણ પાઠવેલ છે.
