મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા પાસે ખેતરના કૂવામાં અકસ્માતે પડી જવથી યુવતીનું અને વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવનનું મોત


SHARE









મોરબીના વાંકડા પાસે ખેતરના કૂવામાં અકસ્માતે પડી જવથી યુવતીનું અને વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવનનું મોત

મોરબીના વાંકડા ગામની સીમમાં આવેલ ખેતરમાં પાણીના કૂવામાં યુવતી અકસ્માતે પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર નજીક મચ્છુ નદીના વહેણમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ કજારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનહરભાઈ ચીમનભાઈ નાયક (42)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડગાસિયાના ખેતરની અંદર પાણીનો કૂવો આવે છે અને ત્યાં મનહરભાઈની દીકરી સપનાબેન મનહરભાઈ નાયક (22) વાળી કોઈ કારણોસર કૂવા પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સપનાબેનનું મોતની પછી હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન કોઈપણ કારણોસર નદીના વહેણમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને પાણીમાં તેની લાશ તરતી હોય તે અંગેની જાણ સંજયભાઈ છગનભાઈ કોળી (35) રહે. નવાપરા વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે ત્યાં પહોંચીને મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News