હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા પાસે ખેતરના કૂવામાં અકસ્માતે પડી જવથી યુવતીનું અને વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવનનું મોત


SHARE















મોરબીના વાંકડા પાસે ખેતરના કૂવામાં અકસ્માતે પડી જવથી યુવતીનું અને વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવનનું મોત

મોરબીના વાંકડા ગામની સીમમાં આવેલ ખેતરમાં પાણીના કૂવામાં યુવતી અકસ્માતે પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર નજીક મચ્છુ નદીના વહેણમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ કજારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનહરભાઈ ચીમનભાઈ નાયક (42)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડગાસિયાના ખેતરની અંદર પાણીનો કૂવો આવે છે અને ત્યાં મનહરભાઈની દીકરી સપનાબેન મનહરભાઈ નાયક (22) વાળી કોઈ કારણોસર કૂવા પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સપનાબેનનું મોતની પછી હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન કોઈપણ કારણોસર નદીના વહેણમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને પાણીમાં તેની લાશ તરતી હોય તે અંગેની જાણ સંજયભાઈ છગનભાઈ કોળી (35) રહે. નવાપરા વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે ત્યાં પહોંચીને મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News