મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત

વાંકાનેરમાં આવેલ નંદવાણા શેરી પ્લે હાઉસની બાજુમાં રહેતી મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે સવારે ઘરે કોઈને કશું જ કહ્યા વગર તે મહિલા નીકળી ગઈ હતી અને ત્યાર બાદ તિથવા ગામ પાસે વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસો બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની નંદવાણા શેરીમાં પ્લે હાઉસની બાજુમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (50) નામના મહિલાએ તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે વહેલી સવારે તે પોતાના ઘરે કોઈને કશું કર્યા વગર પોતાની જાતે નીકળી ગઇ હતી અને ત્યારબાદ તેણે વડસતળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇજાગ્રસ્ત સારવારમાં

ડુંગરપુર ગામે રહેતા કાંતિભાઈ પ્રભુભાઈ પાટડીયા (50) નામના આધેડ ટિંબડી ગામ પાસે ટ્રકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

જનાવર કરડી ગયું

મોરબીના ઝીકિયારી ગામે રહેતા કાંતિભાઈ છગનભાઈ સોલંકી (52) નામના આધેડ ઘરે હતા ત્યારે કોઈ જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News