મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી


SHARE











મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આચાર્ય ડો.રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર એવા ડૉ. રાજપૂતે ઇનોવેશન ક્લબની  વિગતવાર માહિતી તેમજ ઉદ્યોગ સાહસિકતા દિવસ અંગેની, ઉદ્યોગો અંગેની જાણકારી વિદ્યાર્થી ભાઈ બહેનોને આપી હતી. તો ડો. નાજાભાઇ કોડીયાતરે IIC ક્લબ અંતર્ગત ઇનોવેશન કઈ રીતે થઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજૂતી આપેલ અને સ્ટાર્ટઅપ કઈ રીતે કરી શકાય તે વાત વિગતવાર જણાવી હતી.  કાર્યક્રમના મુખ્ય વક્તા ડો.અતુલ ધ્રુવે ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત તેમણે ગાંધીનગર કેસીજી ખાતે લીધેલી ટ્રેનિંગ બાબતે તેમજ હાલના સમયમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો નાના-નાના ઉદ્યોગથી આરંભ કરીને વિવિધ પ્રકારના વ્યવસાયો ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને સાહસ દેખાડી શકે તે બાબતે વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. તો કાર્યક્રમના અધ્યક્ષ રામભાઈએ પૂર્વ તૈયારીથી રજૂ થયેલ ત્રણેય તજજ્ઞ વક્તવ્યોને બિરદાવ્યા હતા. અને વિદ્યાર્થીઓને તેમાંથી બોધપાઠ લેવા સૂચવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો.કવિતાબા ઝાલા એ કર્યું હતું.






Latest News