મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના ગોરખીજડીયા ગામે શાળામાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના નિર્દેશન હેઠળ મોરબી તાલુકાના ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ધો. 1 થી 8 ના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.ત્યાર બાદ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા સંકલ્પ લીધેલ હતો. અને અંતમાં સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. ભૂમિકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સુપરવાઇઝર જે.બી.બેચરા, મનીષ મકવાણા, સી.એચ.ત્રિવેદી, એસ.આર.દલ તથા શાળાના પ્રિન્સિપાલ પંકજભાઈ ઠોરિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News