મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ


SHARE













મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ

માળિયા તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા ખેડૂત ખાતેદાર હતા અને રાજકોટ હેમરેજ થતા મરણ પામેલ તેઓને પાંચ-પાંચ લાખની બે પોલીસી હતી.પરંતુ ચોલા મંડલમ વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ જેમાં અદાલતે તા.૩૦-૯-૨૪ થી કુલ દશ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા બાથરૂમમાં નાહવા જતાં પડી ગયેલ અને માથામાં ઇજા થતાં તેને માળિયા સરકારી દવાખાનામાં દાખલ કરેલ હેમરેજને કારણે મરણ પામેલ તેમના પુત્ર જયેશભાઈએ વીમા કંપનીને તમામ કાગળો આપેલ પરંતુ ચોલામંડલમ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમા કેઇસ દાખલ કર્યો હતો.મનસુખભાઈ ખાતેદાર ખેડૂત હતા તેમણે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક દ્રારા વીમો લીધેલ વીમાનુ પ્રીમીયમ ભર્યુ હતુ.માટે અદાલતે કહયુ કે વીમાકંપનીની સેવામાં ખામી છે માટે રૂા.દસ લાખ તા.૩૦-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટે ચુકવવાનો આદેશ ગ્રાાહક અદાલતે કરેલ છે.




Latest News