મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના આગેવાને કર્યો વિરોધ


SHARE













મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના આગેવાને કર્યો વિરોધ

ભારત એક કૃષિપ્રધાન દેશ છે છતાં ખાતર માટે ખેડૂતો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતોને નેનો યુરિયાની બોટલ ફરજિયાત ન આપવામાં આવે તેના માટે ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણીકલેક્ટર કે.બી.ઝવેરીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશથી થતા કૃષિ ઉત્પાદનોની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવી જોઈએ. આ પગલું દેશના ખેડૂતોને તેમના પાકનો પૂરતો પોષણક્ષમ ભાવ મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત ડીએપી (DAP) અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવે, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ કર્યો છે અને જે વિતરણ કેન્દ્ર ઉપરથી ફરજિયાત પણે નેનો યુરિયાની બોટલનું વેચાણ કરતા હોય તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News