મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો


SHARE











મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા શિવ તરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું છે અને આમસના દિવસે રફાળેશ્વર મહાદેવ મંદિરે લોકો પિતૃતર્પણ કરવા માટે આવશે અને તેની સાથે શિવા દર્શન અને મેળાની પણ મોજ માણશે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી અમાસ નિમિતે બે દિવાસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.22 અને તા.23 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાશે જે "શિવ તરંગ" લોકમેળાને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, માજી કારોબારી ચેરમેન જેન્તીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસજાળીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જાંબુડિયા ગામના સરપંચ હંસાબેન રમેશભાઈ કણસાગરા તથા સદસ્ય તેમજ વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. ખાસ કરીને તા.23 ને શ્રાવણ મહિનાની અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો ત્યા આવે છે અને પિતૃતર્પણ કરીને શિવજીના દર્શન, પૂજનનો લાભ લેતા હોય છે તેની સાથોસાથ મેળાની પણ મજા માણે છે. વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ મેળો ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરતો લોકમેળો છે. કેમ કે, રફાળેશ્વરના મેળામાં ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.






Latest News