મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ


SHARE













ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ

મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે બિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર...આ મંદિરની દંતકથા મુજબ દેવયોગથી શ્રાપિત થયેલ ગંધર્વ અને અપ્સરાને તેના શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે દેવાધી દેવ મહાદેવ યુરપુરી એટલે કે મોરબીથી ૧૫ કિલો મીટર દુર હાલમાં જે જગ્યા પાસે ત્રણ ગામ નો ત્રીભેટો થાય છે તેવા મયુરપુરીના જંગલમાં મહાદેવ પ્રશાન્ન થયા હતા અને આ જગ્યાને લોકો હાલમાં બિલેશ્વર મહાદેવ મંદિર ના નામ થી જાણે છે તો ચાલો જાણીએ બિલેશ્વર દાદાના પ્રગટ્યાનો ઈતિહાસ જોઈએ તો 

૭૦૦ વર્ષ જુનું બીલેશ્વર મહાદેવનું મંદિર મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે તે જગ્યા એ વર્ષો પેહલા રત્નાકર સાગર હતો અને તેના તટ પાસે મયુરપુરી એટલે કે મોરબી વસેલું હતું અને હાલમાં જે જગ્યા પર મંદિર આવેલું છે ત્યાં મયુરપુરીનું ગાઢ જંગલ હતું અને આ વિસ્તારના લોકો પશુપાલન અને ખેતીનો ધંધો કરતા હતા તે સમયે રાજવી પરિવારના દિવાન એક વાણીયા શેઠને ત્યાં ખુબ જ ગાયો હતી અને તે ગાયોની ખુબ જ સેવા કરતા હતા તેમની કપિલા નામની ગાયને ગામના ધણની સાથે ગોપાલક ભલો ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો એવું કેહવાય છે કે વાણીયાની ગાય અને ભરવાડ દેવયોગથી શ્રાપિત હતા અને વાણીયાની ગાય, ભરવાડ અને શિવજીનું બાણ એક જ સમયે ભેગા થાય તે સમયે જ તે શ્રાપ મુક્ત થાય તેમ હતું જેથી શિવજીના મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની જેવો જ આ મંદિરનો પણ પ્રગટ્યાનો ઈતિહાસ છે અને આ મંદિર માત્ર મોરબીના જ નહિ દેશ વિદેશમાં રેહતા લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભગવાન શંકરના તો અનેક નામ છે પરંતુ બિલેશ્વર નામ પાછળના ઈતિહાસમાં એવું કેહવાયું છે કે જંગલમાં ચોતરફ બીલીપત્રના વૃક્ષની વચ્ચે દાદા પ્રગટ થયા હોવાથી તેમનું નામ બિલેશ્વર રાખવામાં આવ્યું છે.અત્રે ઉલેખનીય છે કે, વર્ષો પેહલા ત્યાં માત્ર નાની દેરી જ હતી જો કે ત્યાર બાદ મંદિરની બાજુમાં જ ખેતર ધરાવતા મુળજીભાઈ વિલાપરાએ મંદિર મોટું બને તે માટે તેના ખેતરમાંથી બે વીઘા જમીન મંદિર માટે આપી હતી એટલે જ તો વર્ષો પેહલા જે જગ્યા એ નાની દેરી હતી ત્યાં આજે મહાદેવનું વિશાળ મંદિર છે.અત્રે ઉલેખનીય છે કે, બિલેશ્વર દાદાને પ્રસન્ન કરવા માટે શિવભકતો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે.અને એવું કહેવાય છે કે, બીલેશ્વર મહાદેવનો જે કોઈ પણ પૂરી શ્રધ્ધાથી અભિષેક કરાવે છે તેમને મન વંચિત ફળ મળે છે અને તે અભય બની જાય છે.




Latest News