મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ


SHARE







ગંધર્વ-અપ્સરાને શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટે વર્ષો પહેલા મોરબીના બિલિયા નજીક જંગલમાં પ્રશન્ન થયા હતા બિલેશ્વર મહાદેવ

મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે બિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર...આ મંદિરની દંતકથા મુજબ દેવયોગથી શ્રાપિત થયેલ ગંધર્વ અને અપ્સરાને તેના શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે દેવાધી દેવ મહાદેવ યુરપુરી એટલે કે મોરબીથી ૧૫ કિલો મીટર દુર હાલમાં જે જગ્યા પાસે ત્રણ ગામ નો ત્રીભેટો થાય છે તેવા મયુરપુરીના જંગલમાં મહાદેવ પ્રશાન્ન થયા હતા અને આ જગ્યાને લોકો હાલમાં બિલેશ્વર મહાદેવ મંદિર ના નામ થી જાણે છે તો ચાલો જાણીએ બિલેશ્વર દાદાના પ્રગટ્યાનો ઈતિહાસ જોઈએ તો 

૭૦૦ વર્ષ જુનું બીલેશ્વર મહાદેવનું મંદિર મોરબી નજીકના બીલીયા ગામ પાસે આવેલ છે તે જગ્યા એ વર્ષો પેહલા રત્નાકર સાગર હતો અને તેના તટ પાસે મયુરપુરી એટલે કે મોરબી વસેલું હતું અને હાલમાં જે જગ્યા પર મંદિર આવેલું છે ત્યાં મયુરપુરીનું ગાઢ જંગલ હતું અને આ વિસ્તારના લોકો પશુપાલન અને ખેતીનો ધંધો કરતા હતા તે સમયે રાજવી પરિવારના દિવાન એક વાણીયા શેઠને ત્યાં ખુબ જ ગાયો હતી અને તે ગાયોની ખુબ જ સેવા કરતા હતા તેમની કપિલા નામની ગાયને ગામના ધણની સાથે ગોપાલક ભલો ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો એવું કેહવાય છે કે વાણીયાની ગાય અને ભરવાડ દેવયોગથી શ્રાપિત હતા અને વાણીયાની ગાય, ભરવાડ અને શિવજીનું બાણ એક જ સમયે ભેગા થાય તે સમયે જ તે શ્રાપ મુક્ત થાય તેમ હતું જેથી શિવજીના મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની જેવો જ આ મંદિરનો પણ પ્રગટ્યાનો ઈતિહાસ છે અને આ મંદિર માત્ર મોરબીના જ નહિ દેશ વિદેશમાં રેહતા લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભગવાન શંકરના તો અનેક નામ છે પરંતુ બિલેશ્વર નામ પાછળના ઈતિહાસમાં એવું કેહવાયું છે કે જંગલમાં ચોતરફ બીલીપત્રના વૃક્ષની વચ્ચે દાદા પ્રગટ થયા હોવાથી તેમનું નામ બિલેશ્વર રાખવામાં આવ્યું છે.અત્રે ઉલેખનીય છે કે, વર્ષો પેહલા ત્યાં માત્ર નાની દેરી જ હતી જો કે ત્યાર બાદ મંદિરની બાજુમાં જ ખેતર ધરાવતા મુળજીભાઈ વિલાપરાએ મંદિર મોટું બને તે માટે તેના ખેતરમાંથી બે વીઘા જમીન મંદિર માટે આપી હતી એટલે જ તો વર્ષો પેહલા જે જગ્યા એ નાની દેરી હતી ત્યાં આજે મહાદેવનું વિશાળ મંદિર છે.અત્રે ઉલેખનીય છે કે, બિલેશ્વર દાદાને પ્રસન્ન કરવા માટે શિવભકતો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે.અને એવું કહેવાય છે કે, બીલેશ્વર મહાદેવનો જે કોઈ પણ પૂરી શ્રધ્ધાથી અભિષેક કરાવે છે તેમને મન વંચિત ફળ મળે છે અને તે અભય બની જાય છે.






Latest News