વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: વિજેતા બનેલા ઉમેદવારોના નામ મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં વોર્ડ નંબર 1, 5 અને 10 ની ભાજપની પેનલનો વિજય, મહાપાલિકામાં ભગવો લહેરાશે માળીયા મિંયાણામાં વડીલો પાર્જીત મિલ્કત બાબતે યુવાન, તેના પત્ની અને બે દીકરીઓ સાથે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓએ માર માર્યો: એક યુવતીને હાથમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામે ચોકડી પાસે નજીકની વાતમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેપક્ષેથી મારામારી કરવામાં આવી હતી ત્યારે છરી અને તલવાર ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંનેપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારા (58)એ હાલમાં મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા, વિકાસભાઈ પ્રભુભાઈ બાવળીયા અને વિશાલભાઈ મુકેશભાઈ ખાંભળીયા રહે. ત્રણેય રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ મુકેશભાઈ ખાંભળીયાને સાઈડમાં જવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા ઉસકેરાઈ જઈને ધોકા વડે ફરીયાદીને મુઢમાર માર્યો હતો તથા સાહે રાજુભાઈને પાઇપ વડે મારમારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ રાજુભાઈને વિકાસભાઈએ છરી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર મારુતિ પાર્કમાં રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા (45) એ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજી વાળાના થડાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીને લીલાભાઈ સાથે ધંધા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મારમારીને સાહે વિકાસને જમણા સાથળના ભાગે તલવાર વડે ઇજા કરવામાં આવી હતી તથા સાહે વિશાલને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News