મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામે ચોકડી પાસે નજીકની વાતમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેપક્ષેથી મારામારી કરવામાં આવી હતી ત્યારે છરી અને તલવાર ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંનેપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારા (58)એ હાલમાં મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા, વિકાસભાઈ પ્રભુભાઈ બાવળીયા અને વિશાલભાઈ મુકેશભાઈ ખાંભળીયા રહે. ત્રણેય રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ મુકેશભાઈ ખાંભળીયાને સાઈડમાં જવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા ઉસકેરાઈ જઈને ધોકા વડે ફરીયાદીને મુઢમાર માર્યો હતો તથા સાહે રાજુભાઈને પાઇપ વડે મારમારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ રાજુભાઈને વિકાસભાઈએ છરી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર મારુતિ પાર્કમાં રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા (45) એ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજી વાળાના થડાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીને લીલાભાઈ સાથે ધંધા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મારમારીને સાહે વિકાસને જમણા સાથળના ભાગે તલવાર વડે ઇજા કરવામાં આવી હતી તથા સાહે વિશાલને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News