મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા-સીટી પુરવઠા તંત્રની બાબતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખીત રજુઆત


SHARE











મોરબી જીલ્લા-સીટી પુરવઠા તંત્રની બાબતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખીત રજુઆત

મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પત્ર લખીને રજુઆત કરેલ છેકે મોરબી જીલ્લામાં તેમજ સીટી વિસ્તારમાં પુરવઠા વિભાગના પ્રશ્નોને લીધે લોકો હેરાન છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં મોરબી જીલ્લામાં પુરવઠા વિભાગમાં પુરતો સ્ટાફ હોવા છતા અરજદારના કામો સમયસર થતા નથી.જયારે જીલ્લા પુરવઠા કચેરીમાં ફકત બે કર્મચારી હતા ત્યારે સરળતાથી કામ થતુ નથી જોકે હાલમાં પુરતો સ્ટાફ છે છતાં પ્રજા હેરાન થાય છે આવુ કેમ ? સસ્તા અનાજની દુકાનના દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી, દુકાન ઉપર કોઈ પણ જાતના નિયમાનુસાર બોર્ડ લગાવતા નથી જેમાં ગ્રાહકને શુ મળે છે ? અને કેટલો જથ્થો મળે છે ? તેના ખ્યાલ આવતો નથી.કોઈપણ દુકાનનું ઉચ્ચ અધીકારીઓ દ્રારા સપ્રાઈઝ વીઝીટ થતી નથી.દુકાનદારોએ જે પૈસા સરકારને ભરવાના થાય છે તે સમયસર ભરતા નથી.જેથી ગ્રાહકને સમયસર પોતાને મળતો રાશનનો જથ્થો મળતો નથી.દુકાન ઉપર દુકાનદારે પોતાના મોબાઈલ નંબર લખવા જોઈએ જે લખતા નથી અને ગ્રાહકો ધકકા ખાય છે.

મોરબી સીટી પુરવઠા વિભાગમાં રેશનકાર્ડનું આડેધડ વિભાજન કરેલ હોય રેશનકાર્ડ ધારકને દુર સુધી રાસન લેવા જવુ પડે છે અને રીક્ષા ભાડાના ખર્ચ થાય છે અને પ્રજાના આવા પ્રશ્નો ઉકેલ લાવામાં કોઈને રસ નથી આ બાબતે કલેકટર તથા પુરવઠા અધિકારી પાસે અવાર-નવાર રૂબરૂ રજુઆતો કરેલ છે.પરંતુ નિકાલ થતો નથી ! દુકાનદારની પણ ફરીયાદ છે કે અમોને છેલ્લા ચાર મહીનાથી કમીશન મળેલ નથી.જેથી તેઓ પણ મુશ્કેલીમાં છે.ગુજરાતની ભાજપ સરકાર ગરીબો પાછળ કરોડો રૂપિયા અનાજનો ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણ આવડત અને બેદરકારીને કારણે પ્રજા પરેશાન થાય છે અને બદનામ સરકાર થાય છે.આ બાબતે મોરબી જીલ્લામાં અને સીટી પુરવઠામાં વહેલી તકે કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે તેવી પી.પી.જોષીએ રજુઆત કરેલ છે.






Latest News