મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ-મહામંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી વિવિધ રજૂઆત


SHARE











મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ-મહામંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી વિવિધ રજૂઆત

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ અને મહામંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાળાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લા શિક્ષણ અધિકારી મોતાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાળા સંચાલક મંડળને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ પ્રશ્નમાં શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા માટે જણાવેલ પરિપત્ર અનુસંધાને સરકારના એન્જિનિયરો દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમજ શાળાઓમાં ઘણા સમયથી વર્ગ ચારના કર્મચારીઓની ભરતી થયેલ ન હોય આઉટસોર્સિંગથી ભરતી થાય તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

તેમજ સરકારના શાળા રીપેરીંગ માટેના ગ્રાન્ટના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જે શાળાઓ પાસે ૨૦ ટકા રકમ ભરવા માટે ન હોય તેવી શાળાઓને ધારાસભ્ય અથવા સંસદ સભ્યોને ગ્રાન્ટ શાળાના ફાળા માટે ભરવામાં આવે તો તે માન્ય રાખવા માટે પણ સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જયારે રોસ્ટર રજીસ્ટરો સમયસર અપડેટ થતા ન હોય શાળામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી જાય છે તે માટે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી મોતા દ્વારા આ પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાત્રી આપવામાં આવી હતી.






Latest News