મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત

વાંકાનેરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરકંકાશ રહેતો હોય અને તેની પત્ની રિસામણે જતી રહેતી હોવાને કારણે યુવાનને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીની મોટી માધાણી શેરીમાં રહેતી યુવતીની સગાઈ તૂટી જવાના કારણે તેને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધો હતો.

વાંકાનેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (35) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક જગદીશભાઈના પત્ની ભાવુબેન સાથે મનમેળ ન હોય ઘર કંકાસ થતો હતો અને અવારનવાર ભાવુબેન રિસામણે જતા રહેતા હતા જેથી કરીને જગદીશભાઈને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

મોરબીમાં નાની બજાર પાસે આવેલ મોટી માધાણી શેરીમાં રહેતા અભિજીતભાઈ સનતભાઈ ભટ્ટની 22 વર્ષની દીકરી રિયાબેને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીની સગાઈ તૂટી જવાના કારણે તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News