મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની મૂર્તિનું રવિવારે સવારે 7:30 કલાકે કર્યું વિસર્જન: મહાપાલિકા-પોલીસે 24 કલાક ખડેપગે


SHARE













મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની મૂર્તિનું રવિવારે સવારે 7:30 કલાકે કર્યું વિસર્જન: મહાપાલિકા-પોલીસે 24 કલાક ખડેપગે

મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકા દ્વારા શોભેશ્વર રોડ પર આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે અને તેમાં શનિવારે સવારના 7 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધીમાં સલામત રીતે ગણેશજીની નાની-મોટી 820 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણેશ વિસર્જન સમયે કોઈ જીવલેણ દુર્ઘટના ન બને તે માટે મોરબી શહેરી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ જુના પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ હતો અને ત્યાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ સ્વીકારવામાં આવતી હતી અને ત્યાથી તે મૂર્તિઓને સલામત રીતે પિકનિક સેન્ટર ખાતે લઈને આવીને કૃત્રિમ કુંડમાં તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું વધુમાં મહાપાલિકાના કર્મચારી પાસેથી મળતી વિગત પ્રમાણે આ વર્ષે કુલ મળીને 820 જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં તા 31 ના રોજ 130, તા 2 ના રોજ 76, તા 4 રોજ 42 અને તા 6 ના રોજ 572 ગણેશજીની મૂર્તિનો સમાવેશ થાય છે ઉલેખનીય છે કે, શનિવારે વરસાદ ચાલુ હતો તો પણ ચાલુ વરસાદે મહાપાલિકાની ટીમે સલામત રીતે ગણેશજીની મૂર્તિઓની વિસર્જન કર્યું હતું વધુમાં અધિકારી જણાવ્યુ હતુ કે, મોરબી જે મોટા ગણેશ મહોત્સવ હતા તેના આયોજકો સૌથી છેલ્લે તેની મૂર્તિઓ લઈને આવ્યા હતા જેમાં પટેલ ગ્રૂપ કા રાજા શનિવારે રાતે 10:45 કલાકે, મયુર નગરી કા રાજા રવિવારે વહેલી સવારે 3:15 કલાકે અને સિધ્ધી વિનાયક કા રાજા રવિવારે સવારે 7:30 કલાકે મૂર્તિ લઈને આવ્યા હતા આમ સતત 24 કલાક સુધી ખડેપગે રહીને ગણેશજીની મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, એસોજી, એલસીબી સહિતની ટીમો બંદોબસ્તમાં ખડેપગે તૈનાત રહી હતી.








Latest News