મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૫ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE













મોરબી તાલુકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૫ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીના બંધુનગરના વતનીનું હાર્ટએટેકથી મોત થતા તેમના વારસદારએ એલ.આઈ.સી. માં તેમના ભાઈનો વીમો હતો અને તેને સમયસર દરેક કાગળો રજુ કરેલ છતા પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડેલ એટલે ગ્રાહકને અન્યાય થતા તેઓએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અને ગ્રાહક અદાલતમાં આ કેસ ચાલી જતા કોર્ટે વીમા કંપનીને ૧૫ લાખ ૬ ટકાના વ્યાજ સાથે તા.૨૮-૮-૨૪ થી ચુકવવા તથા અન્ય ખર્ચ પેટે ૫૦૦૦ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે મોરબી બંધનગરના રહીશ અતુલભાઈ છગનભાઈ સંઘાણીનું તા.૨૯-૭-૨૩ના રોજ મોરબીની આયુષ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મૃત્યુ થયેલ હતું. તેમના ભાઈ કમલેશભાઈ છગનભાઈ સંઘાણીએ એલ.આઈ.સી. કંપનીની તમામ કાગળો રજુ કરેલ હતા. પરંતુ વીમા કંપનીએ કહેલ કે તેમની ફાઇલમાં થાઇરોડ હતો તેવી વિગત છે. તેથી વીમો કવર થઈ શકે નહી અને આ રોગ જુનો હતો. કોર્ટે કહ્યુ કે કોઈપણ વીમો લેવામાં આવે તો તેને મેડીકલ કરાવવું જોઈએ વીમા કંપનીએ આવી કોઈપણ જાતની તપાસ કરેલ નથી અને થાઇરોડ અને હાર્ટએટેકને કોઈ સબંધ નથી માટે મૃતકના વારસદાર કમલેશભાઈ છગનભાઈ સંઘાણીને ૧૫ લાખ રૂપિય ૬ ટકાના વ્યાજ સાથે તા. ૨૮/૦૮/૨૪ થી ચુકવી આપવા જો વીમા કંપની સમયમર્યાદામાં ના ચુકવાય તો નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા તથાં ખર્ચ પેટે ૫૦૦૦, રૂા. ચુકવવાનો આદેશ કરેલ છે. જો ગ્રાહકને કોઈપણ જગ્યાએ અન્યાય થાય તો લાલજીભાઈ મહેતા (૯૮રપ૭૯૦૪૧૨), રામભાઈ મહેતા (૯૯૦૪૭૯૮૦૪૮), બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪૯૯૧૮૫) અને હિતેશભાઈ મહેતા (૯૯૭૮૯૮૩૯૮૬)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.








Latest News