વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૫ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE













મોરબી તાલુકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૫ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીના બંધુનગરના વતનીનું હાર્ટએટેકથી મોત થતા તેમના વારસદારએ એલ.આઈ.સી. માં તેમના ભાઈનો વીમો હતો અને તેને સમયસર દરેક કાગળો રજુ કરેલ છતા પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડેલ એટલે ગ્રાહકને અન્યાય થતા તેઓએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અને ગ્રાહક અદાલતમાં આ કેસ ચાલી જતા કોર્ટે વીમા કંપનીને ૧૫ લાખ ૬ ટકાના વ્યાજ સાથે તા.૨૮-૮-૨૪ થી ચુકવવા તથા અન્ય ખર્ચ પેટે ૫૦૦૦ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે મોરબી બંધનગરના રહીશ અતુલભાઈ છગનભાઈ સંઘાણીનું તા.૨૯-૭-૨૩ના રોજ મોરબીની આયુષ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મૃત્યુ થયેલ હતું. તેમના ભાઈ કમલેશભાઈ છગનભાઈ સંઘાણીએ એલ.આઈ.સી. કંપનીની તમામ કાગળો રજુ કરેલ હતા. પરંતુ વીમા કંપનીએ કહેલ કે તેમની ફાઇલમાં થાઇરોડ હતો તેવી વિગત છે. તેથી વીમો કવર થઈ શકે નહી અને આ રોગ જુનો હતો. કોર્ટે કહ્યુ કે કોઈપણ વીમો લેવામાં આવે તો તેને મેડીકલ કરાવવું જોઈએ વીમા કંપનીએ આવી કોઈપણ જાતની તપાસ કરેલ નથી અને થાઇરોડ અને હાર્ટએટેકને કોઈ સબંધ નથી માટે મૃતકના વારસદાર કમલેશભાઈ છગનભાઈ સંઘાણીને ૧૫ લાખ રૂપિય ૬ ટકાના વ્યાજ સાથે તા. ૨૮/૦૮/૨૪ થી ચુકવી આપવા જો વીમા કંપની સમયમર્યાદામાં ના ચુકવાય તો નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા તથાં ખર્ચ પેટે ૫૦૦૦, રૂા. ચુકવવાનો આદેશ કરેલ છે. જો ગ્રાહકને કોઈપણ જગ્યાએ અન્યાય થાય તો લાલજીભાઈ મહેતા (૯૮રપ૭૯૦૪૧૨), રામભાઈ મહેતા (૯૯૦૪૭૯૮૦૪૮), બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪૯૯૧૮૫) અને હિતેશભાઈ મહેતા (૯૯૭૮૯૮૩૯૮૬)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.




Latest News