મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો મળતો ન હોય કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીમાં કામ ધંધો મળતો ન હોકંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાને કામ ધંધો મળતો ન હોવાથી કંટાળી જઈને કોલોનીની બારી સાથે સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુચીરામ સાગરમ સોરેન (34) નામના યુવાને લેબર કોલોનીમાં રૂમની બારી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની કલેમ્બર સમયા મુરમુ (26) રહે. હાલ સોરીસો કારખાનાની લેબર કોલોનીમાં મોરબી મૂળ રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને કામ ધંધો મળતો ન હોય તે કંટાળી ગયો હતો જેથી પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારમાર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ખાનગી સ્કૂલ પાસે પાર્થ મનસુખભાઈ નેસડિયા અને દલસુખ અર્જુનભાઈ વિડજા નામના બે વ્યક્તિને અજાણ્યા શખ્સે લાકડી વડે મારમાર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લીધું

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મેહુલ ભરતભાઈ સરાડીયા (28) નામના યુવાને કોઇ કરણસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News