મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસ નજીક નદીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ તણાઇને બેઠા પુલ સુધી આવી ગયો


SHARE







મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસ નજીક નદીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ તણાઇને બેઠા પુલ સુધી આવી ગયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસ પાસે પાણીમાં યુવાને ડૂબી ગયો હતો જેની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને પાણીમાં ડૂબી ગયેલ યુવાનની શોધખોળ કરી હતી જો કે તેનો પત્તો લાગ્યો ન હતો અને આજે સવારે મચ્છુ નદીના પટમાં બેઠા પુલ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવેલ હતો જેથી તેને સિવિલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ કારખાનાની બાજુમાં રહેતો કિશોર બચુભાઈ વાઘાણી (34) નામનો યુવાન સોમવારે સાંજના સમયગાળા દરમિયાન લીલાપર ફિલ્ટર હાઉસ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી ગયો હતો જે બનાવની મંગળવારે બપોરે 12:00 વાગ્યાના અરસામાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોડી સાંજ સુધી યુવાનનો પતો લાગ્યો ન હતો. જો કે, મચ્છુ-2 ડેમના 2 દરવાજા અઢી ફૂટ સુધી ખુલ્લા રાખીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેથી પાણીનો પ્રવાહ સતત નદીમાં વહેતો હતો જેથી યુવાન પાણી સાથે તણાઇને આગળ નીકળી ગયો હોય તેવી શક્યતા હતી જેથી ફાયરની ટીમ દ્વારા મચ્છુ 3 ડેમ નજીક આરટીઓના પુલ પાસે યુવાનની શોધખોળ હાથ ધરવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આજે સવારે મોરબીમાં બેઠા પુલ નજીક મચ્છુ નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ હતી જેથી બી ડિવિઝન પોલીસ તથા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીના પટમાં પડેલા યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જોધપર અકસ્માત
મોરબીના જોધપર ગામે ડેમ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.આ વાહન અકસ્માત બનાવમાં નિમુબેન હસમુખભાઈ શંખેસરિયા (૫૫) રહે.રાજનગર પંચાસરા રોડને ઇજા થઈ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર એકટીવા સ્લીપ થઈ જતા કેતન અમૃતભાઈ રાણપરા (૪૭) રહે. ગ્રીન ચોક મોરબીને ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેમજ અહીંના મોળપર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થતા જાલમસિંહ મહેતાબભાઇ ગામડ (૨૬) રહે.મોડપર ને અત્રેની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ટ્રેન અકસ્માતમાં ઇજા
મોરબીના જૂના ઘુંટુ રોડ પ્લેટિનમ સીરામીક સામે ડેમો ટ્રેનની ઝડપે ચડી જતા શક્તિભાઈ રમુભાઈ બીજેકા (૩૦) રહે.રફાળેશ્વરને ઇજા પામેલ હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકમાં ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.જ્યારે બંધુનગર ગામ પાસે સિરામિક યુનિટ નજીક વાહન અકસ્માતમાં ઈજા થતાં રઘુનંદન પ્રભુભાઈ બિન્દ (૪૯) રહે.મકનસર તા.મોરબી ને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદ રોડ ઉંચી માંડલ ગામે બાપાસીતારામ હોટલ નજીક વાહન પલ્ટી મારી જતા ખુશીરામ દયારામ મીણા (૩૫) રહે.અજમેર રાજસ્થાનને ઇજા થતા અત્રેની  સિવિલે લવાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના નંદરામ મેસવાણીએ તપાસ કરી હતી.

ચરાડવા અકસ્માત
હળવદના ચરાડવા ગામ પાસે રીક્ષા થાંભલા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અનિલ મનજીભાઈ રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના હળવદ તાલુકાના જૂના કીડી નામે રહેતા સોમાભાઈ વિઠ્ઠલભાઈ ડાભીને હળવદથી જુના કિડી જતા રસ્તે ઇંગોરાળા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News