મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના અપમૃત્યુના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના અપમૃત્યુના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને કરેલ આપઘાત કર્યો હતો જેથી કુલ મળીને 11 શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેમાં એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા હતા તેવામાં બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરેલ છે.

મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ ગાતા મે મહિનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 વ્યજખોરોની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તેના ભાઇનું મોત નીપજયું હતું અને પોલીસને મૃતક પાસેથી ત્રણ પાનાની એક સુસાઇટ નોટ મળી હતી જેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમ દ્વારા આરોપી રવિભાઈ રાજેશભાઈ જીલરીયા (29) રહે.તુલસીપર્ક સનાળા બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

 મહિલા-યુવાન સારવારમાં
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિઘળીયા ગામે રહેતા ફુલીબેન નવઘણભાઈ ઝેંઝરીયા (૪૫) નામના મહિલા દિઘળીયાથી સરા જતા રસ્તેથી જતા હતા ત્યાં જડેશ્વર મહાદેવ મંદિર પાસે બાઈક પાછળના ભાગેથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છ (ભુજ) ના લાકડીયા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મુળુભાઈ કોળી નામનો ૩૧ વર્ષનો યુવાન સામખીયાળીથી જંગી ગામ બાજુ જતો હતો ત્યારે ગોળાઇમાં બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપર વાડી વિસ્તારમાં બાઈક સ્લીપ થઈ જતા લાલજીભાઈ ભગવાનજીભાઈ હડિયલ (૪૨) રહે.પંચાસર રોડને ઈજા થતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાવડી રોડ અકસ્માત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢુલી પાસેથી બાઈક પાછળ બેસીને જતા સમયે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ મહંમદનવાઝ રફીકભાઈ ખલીફા (ઉંમર ૧૮) રહે. નગીના સોસાયટી ઉપલેટા ને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા ગામે રહેતા ભીખાભાઈ શામજીભાઈ ફેફર નામના ૫૮ વર્ષના આધેડ શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી જતા હતા ત્યાં ગાય સાથે બાઈક ટકરાતા ઇજા પામેલા હોય તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News