મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ સેફટી અને સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી, જે શાળામાં ભણ્યા ત્યાંના બાળકોને જ શીખવવાની તક મળી: દેવાયતભાઇ ડાંગર


SHARE













મોરબીમાં રોડ સેફટી અને સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી, જે શાળામાં ભણ્યા ત્યાંના બાળકોને જ શીખવવાની તક મળી: દેવાયતભાઇ ડાંગર

મોરબી જિલ્લામાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ઇન્ચાર પોઇન્સ પોઇન્સ એચવી ઘેલા સાહેબની સૂચનાથી  વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે  માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ દેવાયતભાઈ હીરાભાઈ ડાંગરે મુખ્ય હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગ પર વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટબેલ્ટના મહત્વ સહિતની અગત્યની સલાહો આપી.વિશેષતા એ રહી કે દેવાયતભાઈ ડાંગર પોતે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. પોતાની શાળામાં જ ફરી ફરજ નિભાવવાની તક પીઆઈ એ સુચના આપતા પબ્લિક મોટીવેટ થશે તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ ઉભી થઈ હતી તેમજ વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીનું પાલન કરવાનો સંકલ્પ કર્યો હતો.મોરબી ટ્રાફિક શાખા દ્વારા આવનારા દિવસોમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજી સામાન્ય જનતામાં ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસઓજીના પીએસઆઇ કે.આર.કેસરિયા તથા હાઈસ્કૂલના આચાર્ય સી.એન.ડાંગરએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.








Latest News