મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં પ્રેમ સબંધમાં સમાધાન થઈ ગયા પછી યુવતીના ઘર બાજુ રામ મંડળ જોવા માટે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હતો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદીને આરોપી નં.૩ ની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ આરોપી નં.૩ ને થઈ હતી અને આ પ્રેમસંબંધ તેને મંજૂર ન હોય હવે પછી સંબંધ નહી રાખવા બંને પક્ષે સમાધાન થયેલ હતું ત્યાર બાદ ફરીયાદી રામામંડળ રમતુ હોય જે જોવા માટે ગયેલ જે આરોપીઓને સારુ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો તેમ કહી ફરીયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ચાર આરોપીએ ઢીકાપાટુનો અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર ઘર બાજુ આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી તે મુજબની ફરીયાદ ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી જે કેસ મોરબીના એડિ. ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News