મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં પ્રેમ સબંધમાં સમાધાન થઈ ગયા પછી યુવતીના ઘર બાજુ રામ મંડળ જોવા માટે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હતો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદીને આરોપી નં.૩ ની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ આરોપી નં.૩ ને થઈ હતી અને આ પ્રેમસંબંધ તેને મંજૂર ન હોય હવે પછી સંબંધ નહી રાખવા બંને પક્ષે સમાધાન થયેલ હતું ત્યાર બાદ ફરીયાદી રામામંડળ રમતુ હોય જે જોવા માટે ગયેલ જે આરોપીઓને સારુ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો તેમ કહી ફરીયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ચાર આરોપીએ ઢીકાપાટુનો અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર ઘર બાજુ આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી તે મુજબની ફરીયાદ ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી જે કેસ મોરબીના એડિ. ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.








Latest News