મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન


SHARE













મોરબીમાં પિતૃ સ્મૃતિમાં શનિવારે બ્રહ્મચોર્યાસીનું આયોજન

મોરબીમાં રહેતા બ્રહ્મ પરિવારો માટે આગામી શનિવારે પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ. ચંદ્રકાન્ત નવલ શંકર ઠાકરની સ્મૃતિમાં તેમના પત્ની કિરણબેન ઠાકર સહિતના પરિવારજન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેવાના છે.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આગામી શનિવાર તા ૧૩ ના રોજ ઠાકર પરિવાર દ્વારા સાંજે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪થી ૫:૩૦ સુધી પિતૃ સ્મૃતિમાં કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સાંજે ૫:૩૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યોજાશે. જેનો મોરબીમાં રહેતા તમામ ભૂદેવોએ લાભ લેવા માટે કિરણબેન ઠાકર સહિતના તેઓના પરિવારજન દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News