મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા (મિ)માં રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો: રાજપૂત કરણી સેના મહિલા ટીમે એસપીની મુલાકાત લીધી


SHARE







માળિયા (મિ)માં રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો: રાજપૂત કરણી સેના મહિલા ટીમે એસપીની મુલાકાત લીધી

માળિયા (મિ.) રાજવી પરિવાર દ્વારા માળિયા ખાતે ફ્રી ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને હાલ કરણી સેનાના પ્રદેશ મહામંત્રી કે.ડી.જાડેજા અને મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા સાથે અન્ય આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા. અને ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગ માટે આજે પણ રાજવી પરિવાર ચિંતિત હોય અને આવા અનેક સેવા કાર્ય કરે છે. તે માટે તેઓના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમ દ્વારા મોરબીના એસપી મુકેશ પટેલની મુલકાત લેવામાં આવી હતી ત્યારે શ્રી રાજપૂત કરણીસેના જીલ્લા મહિલા ટીમના પ્રમુખ ગાયત્રીબા જાડેજા, શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, પ્રીતીબા ઝાલા, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News