હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માટે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યાની માહિતી તેઓને મળેલ છે. જેમાં કૈલાસડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલના કામમાં ભ્રષ્ટ્રાચાર, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલના કામમાં ભ્રષ્ટ્રાચાર, સમશાન ન સામે વાવવામાં  આવેલ વ્રુક્ષા રોપણના કામમાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવવા માટે રજૂઆત કરીને તાત્કાલિક  યોગ્ય પગલા  લેવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News