મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











ટંકારાના હરબટીયાળી ગામે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માટે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યાની માહિતી તેઓને મળેલ છે. જેમાં કૈલાસડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલના કામમાં ભ્રષ્ટ્રાચાર, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલના કામમાં ભ્રષ્ટ્રાચાર, સમશાન ન સામે વાવવામાં  આવેલ વ્રુક્ષા રોપણના કામમાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવવા માટે રજૂઆત કરીને તાત્કાલિક  યોગ્ય પગલા  લેવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News