મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના કવાર્ટરમાં જાતે ગળા ઉપર કાતર મારી લેનાર યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાના કવાર્ટરમાં જાતે ગળા ઉપર કાતર મારી લેનાર યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર પોતે જ પોતાની જાતે ગળા ઉપર કાતર મારી લીધી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કોટેશ્વર ગ્રેનાઈટો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રમણીભાઈ દેબેનભાઇ બીરુવા (37) નામના યુવાન ગત તા.5/9 ના રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે પોતાની જાતે પોતાના ગળા ઉપર કાતર મારી લીધી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગારની બે રેડ

મોરબી એ ડિવિઝન પોલીસે બે સ્થળે વરલી જુગારની રેડ કરી હતી જેમાં વાવડી રોડે રામાપીરના મંદિર પાસે જાહેરમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મનોજભાઈ વસંતભાઈ સરવૈયા (60) રહે. વાવડી રોડ લોકજીવન પાર્ક-2 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ ગુલામહુસેન આમદભાઈ ગાલબ રહે. મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે જયારે બીજી રેડ પણ વાવડી રોડે જ કરી હતી ત્યારે મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ નરસીભાઈ ભલસોડ (50) રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 550 રૂપિયાની રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News