મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કલ્યાણપર ખાતે શિક્ષણમાં સર્જનાત્મકતાની થીમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો


SHARE













મોરબી જિલ્લામાં કલ્યાણપર ખાતે શિક્ષણમાં સર્જનાત્મકતાની થીમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે પટેલ સમાજ વાડી ખાતે શિક્ષણમાં સર્જનાત્મકતાની થીમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પા પા પગલીપ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો-૨૦૨૫ તથા માતા યશોદા એવોર્ડ - ૨૦૨૨/૨૦૨૩ નો કાર્યક્રમ યોજાયો હતો.

સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, બાળકોને ઉમંગભેર રમતા રમતા મોજ મજા સાથે શીખવા માટેનો ભૂલકાં મેળો એ સારો પ્રયાસ છે. આંગણવાડીની બહેનો નાના નાના ભૂલકાંઓને પોષણ પૂરું પાડી તેમને પાયાનું શિક્ષણ આપી સુસંસ્કારોનું સિંચન કરે છે. બાળકોને પ્રોત્સાહિત કરી તેમના માનસિક અને બૌદ્ધિક વિકાસનો પ્રારંભ આંગણવાડીથી કરવામાં આવે છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, બાળકોને આંગણવાડીથી લઈને ઉચ્ચ શિક્ષણ નિઃશુલ્ક અને સારું મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે તે પ્રકારના આ ભૂલકાં મેળા જેવા વિવિધ આયોજનો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના નાના ભૂલકાંઓ અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓની જોરદાર રજૂઆતે સૌને બાળ દુનિયાની સફર કરાવી હતી. માતા યશોદા એવોર્ડ- ૨૦૨૨/ ૨૦૨૩ અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના આંગણવાડીના શ્રેષ્ઠ કર્મચારીઓને એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ બાળકો અને આંગણવાડીના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ઇલાબેન પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ ભાવનાબેન ચારોલા સહિત તમામ સીડીપીઓ, આંગણવાડીના કર્મચારીઓ, નાના નાના ભૂલકાઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Latest News