મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી સમય મર્યાદામાં રોડના કામ ન કરે તો નોટિસ આપો: કલેકટર


SHARE













મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી સમય મર્યાદામાં રોડના કામ ન કરે તો નોટિસ આપો: કલેકટર

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી રોડ રસ્તા, પાણીનો નિકાલ, સ્વચ્છતા તથા ટ્રાફિક સહિતના મુદ્દે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ સંબંધિત વિભાગો સાથે ચર્ચા વિચારણા કરી તેમને જરૂરી સુચનાઓ આપી હતી.

જિલ્લામાં કોઈ પ્રશ્નો ન સર્જાય તથા લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવે તે મુદ્દાને ભાર આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે જ્યાં જ્યાં રોડ રસ્તાઓને નુકસાન થયું હોય ત્યાં તાત્કાલિક પેચ વર્ક સહિત રીપેરીંગ કામ કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત રોડના કારણે ટ્રાફિકના પ્રશ્નો ન સર્જાય, હજુ પણ કોઈ વિસ્તારમાં જો પાણી ભરાવાની સમસ્યા હોય તો તેનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તથા વરસાદ બાદ રોગચાળાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કરી દવા છંટકાવ અને ફોગીંગ સહિતની સઘન કામગીરી કરવામાં આવે તેવી કડક સુચના આપવામાં આવી હતી.

વધુમાં કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવામાં ન આવે તો નોટિસ આપવા તથા કચ્છ-મોરબી હાઇવે પર હળવદ-અમદાવાદ હાઈવે જ્યાંથી અલગ પડે છે ત્યાં પણ સાઈન બોર્ડ લગાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, પ્રાંત અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Latest News