મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો


SHARE











મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો

છેલ્લાં ૮ વર્ષથી મેંગોપીપલ પરિવાર દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં વંચિત અને જરૂરી દીકરીઓ માટે એક વરદાન બની ગયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને નિ:શુલ્ક સેનિટરી પેડ્સ અને આંતરવસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર એક ભૌતિક મદદ નથી, પણ તે દીકરીઓના આત્મવિશ્વાસને એક નવી પાંખ આપે છે. જ્યારે દીકરીઓ આર્થિક સંકળામણના કારણે આ જરૂરિયાતથી વંચિત રહે છે, ત્યારે તેમનું શિક્ષણ અને સ્વસ્થ જીવન જોખમમાં મુકાય છે. 'પ્રોજેક્ટ મુસ્કાન' આ અવરોધોને દૂર કરીને દીકરીઓને માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં, પણ માનસિક સશક્તિકરણ પણ પ્રદાન કરે છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ ગર્વથી અને નિર્ભયતાથી તેમના શિક્ષણ અને જીવનમાં આગળ વધી શકે છે. તાજેતરમાં મોરબીના વજેપરવાડી ગામની શાળામાં આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડે દીકરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પ્રિન્સિપાલ કિશોરભાઈ સવસાણી, પટેલ ભાવનાબેન, પટેલ ચેતનાબેન, સેતા વીણાબેન, કુંડારિયા જીજ્ઞાસાબેન, સરડવા મધુબેન અને અન્ય શિક્ષકો, સાથે જ મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડની સમગ્ર ટીમનું સમર્પણ અને અથાગ પરિશ્રમ મુખ્ય કારણ છે.






Latest News