મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો


SHARE













મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો

છેલ્લાં ૮ વર્ષથી મેંગોપીપલ પરિવાર દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં વંચિત અને જરૂરી દીકરીઓ માટે એક વરદાન બની ગયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને નિ:શુલ્ક સેનિટરી પેડ્સ અને આંતરવસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર એક ભૌતિક મદદ નથી, પણ તે દીકરીઓના આત્મવિશ્વાસને એક નવી પાંખ આપે છે. જ્યારે દીકરીઓ આર્થિક સંકળામણના કારણે આ જરૂરિયાતથી વંચિત રહે છે, ત્યારે તેમનું શિક્ષણ અને સ્વસ્થ જીવન જોખમમાં મુકાય છે. 'પ્રોજેક્ટ મુસ્કાન' આ અવરોધોને દૂર કરીને દીકરીઓને માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં, પણ માનસિક સશક્તિકરણ પણ પ્રદાન કરે છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ ગર્વથી અને નિર્ભયતાથી તેમના શિક્ષણ અને જીવનમાં આગળ વધી શકે છે. તાજેતરમાં મોરબીના વજેપરવાડી ગામની શાળામાં આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડે દીકરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પ્રિન્સિપાલ કિશોરભાઈ સવસાણી, પટેલ ભાવનાબેન, પટેલ ચેતનાબેન, સેતા વીણાબેન, કુંડારિયા જીજ્ઞાસાબેન, સરડવા મધુબેન અને અન્ય શિક્ષકો, સાથે જ મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડની સમગ્ર ટીમનું સમર્પણ અને અથાગ પરિશ્રમ મુખ્ય કારણ છે.






Latest News