મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો


SHARE











મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો

છેલ્લાં ૮ વર્ષથી મેંગોપીપલ પરિવાર દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં વંચિત અને જરૂરી દીકરીઓ માટે એક વરદાન બની ગયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને નિ:શુલ્ક સેનિટરી પેડ્સ અને આંતરવસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર એક ભૌતિક મદદ નથી, પણ તે દીકરીઓના આત્મવિશ્વાસને એક નવી પાંખ આપે છે. જ્યારે દીકરીઓ આર્થિક સંકળામણના કારણે આ જરૂરિયાતથી વંચિત રહે છે, ત્યારે તેમનું શિક્ષણ અને સ્વસ્થ જીવન જોખમમાં મુકાય છે. 'પ્રોજેક્ટ મુસ્કાન' આ અવરોધોને દૂર કરીને દીકરીઓને માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં, પણ માનસિક સશક્તિકરણ પણ પ્રદાન કરે છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ ગર્વથી અને નિર્ભયતાથી તેમના શિક્ષણ અને જીવનમાં આગળ વધી શકે છે. તાજેતરમાં મોરબીના વજેપરવાડી ગામની શાળામાં આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડે દીકરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પ્રિન્સિપાલ કિશોરભાઈ સવસાણી, પટેલ ભાવનાબેન, પટેલ ચેતનાબેન, સેતા વીણાબેન, કુંડારિયા જીજ્ઞાસાબેન, સરડવા મધુબેન અને અન્ય શિક્ષકો, સાથે જ મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડની સમગ્ર ટીમનું સમર્પણ અને અથાગ પરિશ્રમ મુખ્ય કારણ છે.






Latest News