મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો


SHARE













મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો

છેલ્લાં ૮ વર્ષથી મેંગોપીપલ પરિવાર દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં વંચિત અને જરૂરી દીકરીઓ માટે એક વરદાન બની ગયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને નિ:શુલ્ક સેનિટરી પેડ્સ અને આંતરવસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર એક ભૌતિક મદદ નથી, પણ તે દીકરીઓના આત્મવિશ્વાસને એક નવી પાંખ આપે છે. જ્યારે દીકરીઓ આર્થિક સંકળામણના કારણે આ જરૂરિયાતથી વંચિત રહે છે, ત્યારે તેમનું શિક્ષણ અને સ્વસ્થ જીવન જોખમમાં મુકાય છે. 'પ્રોજેક્ટ મુસ્કાન' આ અવરોધોને દૂર કરીને દીકરીઓને માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં, પણ માનસિક સશક્તિકરણ પણ પ્રદાન કરે છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ ગર્વથી અને નિર્ભયતાથી તેમના શિક્ષણ અને જીવનમાં આગળ વધી શકે છે. તાજેતરમાં મોરબીના વજેપરવાડી ગામની શાળામાં આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડે દીકરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પ્રિન્સિપાલ કિશોરભાઈ સવસાણી, પટેલ ભાવનાબેન, પટેલ ચેતનાબેન, સેતા વીણાબેન, કુંડારિયા જીજ્ઞાસાબેન, સરડવા મધુબેન અને અન્ય શિક્ષકો, સાથે જ મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડની સમગ્ર ટીમનું સમર્પણ અને અથાગ પરિશ્રમ મુખ્ય કારણ છે.








Latest News