મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયેલ હતો. NTF (નેશનલ ટાસ્ક ફોર્સ) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના મનોરોગ ચિકિત્સક ડો. દીપભાઈ  ભાડજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રા.જે. એમ.કાથડે મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડો. દીપ ભાડજા પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા કેવા વ્યક્તિઓ કરે છે અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તેની સમજણ આપેલ. તેમજ માનસિક બીમારીથી બચવાના ઉપાયો પણ અસરકારક અને હળવી શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આચાર્ય ડૉ.રામભાઈ વારોતરીયાએ પણ આવા વિદ્યાર્થીલક્ષી ઉપયોગી કાર્યક્રમો થતા રહે  તે બાબતે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એનટીએફ ના નોડલ ઓફિસર કે.આર.દંગી તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.






Latest News