મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ


SHARE











ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જુદા જુદા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યો હતો જેને હરબટીયાળી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પાયા વિહોણો ગણાવવામાં આવેલ છે અને જે કામોની ચર્ચા તેમના દ્વારા કરવામાં આવે છે તે તમામ કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તેના પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા હરબટીયાળી ગામમાં સરપંચ દ્વારા કૈલાશ ડેરીથી સ્ટેટ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલ, આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ, સ્મશાન સામે વૃક્ષારોપણના કામોમાં ભ્રષ્ટાચાર થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જે તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને જે કામોની તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી છે તે તમામ કામો કે.ડી.બાવરવા ગામમાં આવીને જોઈ શકે છે તથા ભ્રષ્ટાચાર થયો હોય તો તેના પુરાવા રજૂ કરવા માટે થઈને કહ્યું હતું પરંતુ ટેલીફોનિક ચર્ચામાં તેઓ કોઈ ખુલાસો આપતા નથી અને તેમના દ્વારા ભ્રષ્ટાચારના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી જેથી તેમના દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું સરપંચે જણાવ્યું છે






Latest News