મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ


SHARE











મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ

મોરબીના બ્રહ્મસમાજના એક પરિવાર એવા ઠાકર પરિવાર દ્વારા સ્વ. ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરની પ્રથમ શ્રાધ તર્પણ અર્થે યોજવામાં આવેલ પિતૃસ્મૃતિ કાર્યક્રમ અને બ્રહ્મચોર્યાસી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબીમાં વસતા તમામ ભૂદેવોને કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકર તથા તેમના બંને દીકરા સહિતના પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર, લેખક, ઉત્તમ શિક્ષક અને હાસ્યકલાકાર એવા સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તદુપરાંત ભૂદેવો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું ગાયન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ પ્રશંશનીય અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કાર્યક્રમ હતો. અને અંદાજે 4000 જેટલા ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો હતો.






Latest News