મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ


SHARE







મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ

મોરબીના બ્રહ્મસમાજના એક પરિવાર એવા ઠાકર પરિવાર દ્વારા સ્વ. ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરની પ્રથમ શ્રાધ તર્પણ અર્થે યોજવામાં આવેલ પિતૃસ્મૃતિ કાર્યક્રમ અને બ્રહ્મચોર્યાસી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબીમાં વસતા તમામ ભૂદેવોને કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકર તથા તેમના બંને દીકરા સહિતના પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર, લેખક, ઉત્તમ શિક્ષક અને હાસ્યકલાકાર એવા સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તદુપરાંત ભૂદેવો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું ગાયન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ પ્રશંશનીય અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કાર્યક્રમ હતો. અને અંદાજે 4000 જેટલા ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો હતો.






Latest News