વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્વદેશી મેલાને ખુલ્લો મુકાયો
SHARE







વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્વદેશી મેલાને ખુલ્લો મુકાયો
આપણે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદીએ છીએ, ત્યારે આપણા દેશના ઉદ્યોગો અને નાના વેપારીઓને સીધો ફાયદો થાય છે. આનાથી રોજગારીની તકો વધે છે અને દેશનું અર્થતંત્ર મજબૂત બને છે. સ્વદેશી અપનાવવાથી ભારતના નાના ઉદ્યોગો, હસ્તકલાકારો અને કારીગરોને તેમના ઉત્પાદનો વેચવાની તક મળે છે. આનાથી તેમની કળા અને પરંપરા જળવાઈ રહે છે અને તેમને આર્થિક રીતે સધ્ધર થવામાં મદદ મળે છે. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણા દેશ અને તેની સંસ્કૃતિ પ્રત્યે આદર દર્શાવે છે. આનાથી આપણને રાષ્ટ્રીય ગૌરવની લાગણી થાય છે અને આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈને આગળ વધી શકીએ છીએ. આપણે જેટલી વધારે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું, તેટલી જ વિદેશી વસ્તુઓની આયાત ઓછી થશે. આનાથી દેશ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બને છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ ના સંદેશને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે તથા નવરાત્રી અને દિવાળી તહેવારને અનુલક્ષીને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ હાટ ખાતે “સાંસદ સ્વદેશી મેલા” ને સૌ કચ્છીજનો માટે ખુલ્લું મુકવામાં આવયું છે. જેમાં કચ્છની જનતા સ્વદેશી બનાવટની ઘર સજાવટની સામગ્રી, ખાદી તેમજ હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી શકશે તથા તેની ખરીદી કરી શકશે. આ પ્રસંગે સાસંદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે ‘સ્વદેશી અપનાવવું એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે એક એવી જીવનશૈલી છે જે દરેક ભારતીયને દેશના વિકાસમાં સીધો ભાગ લેવાની તક આપે છે. જો આપણે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરીએ, તો ચોક્કસપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંગદાન પ્રેણતા દિલીપભાઇ દેશમુખ, જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શીતલભાઇ શાહ, ભુજ ન.પા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
