માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પમાં સેવાની સરવાણી: સાંસદ વિનોદભાઈ ચાવડા
SHARE







માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પમાં સેવાની સરવાણી: સાંસદ વિનોદભાઈ ચાવડા
સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં આશાપુરાના દર્શનાર્થે પગપાળા સાઇકલ નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું ભક્તો માટે કચ્છમાં ૨૦૦ થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો - વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો - ઠંડા પાણી, ઠંડા પીણા, મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘ્ન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પડે છે તેમ જણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મે ઘણાં સેવા કેમ્પોની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે, મારી સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, અંગદાન પ્રણેતા
દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી વિગેરે સ્વયંભુ કાર્યકરો સેવામાં જોડાયેલા છે અને દરેક કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ અને ભોજન સહિતની તમામ સુવિધા કરવામાં આવેલ છે જેનો પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે.
