મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ આયોજિત સંકલ્પ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી: તિલક ફરજિયાત


SHARE













મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ આયોજિત સંકલ્પ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી: તિલક ફરજિયાત

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 16માં વર્ષે પણ સર્વ જ્ઞાતિ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દર વખતની જેમ તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે અર્વાચીનની સાથે પ્રાચીન થીમ પર પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  22થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે અને અહી આવતા તમામ લોકોને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન અને અર્વાચિન ગરબા ગાઈને ખેલૈયાઓને મજા કરાવી દેશે. આ નવરાત્રી મહોત્સવમાં સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવશે.

વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે. આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય ધ્યેય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને સાચા અર્થમાં એકતા અને ભાઈચારો સ્થાપવાનો છે. ખાસ કરીને અહી બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મોટી સંખ્યામાં બાઉન્સરો રાખવામા આવશે. તેમજ અંબાજી, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, મોમાઈ, રવેચી, મોગલ અને ઉમિયા માતાજીનાં મંદિરેથી ચુંદડી લાવી અહી રાખવામા આવશે અને તેનું પૂજન અર્ચન કરાશે. 






Latest News