મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રોમોયોગીરી કરનારની ખેર નથી: એસપી મુકેશકુમાર પટેલ


SHARE













મોરબીમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રોમોયોગીરી કરનારની ખેર નથી: એસપી મુકેશકુમાર પટેલ

મોરબી જિલ્લાભરમાં નવરાત્રિ દરમ્યાન કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ છે અને તેની માહિતી આપવા માટે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને શક્તિની આરાધનાનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે જુદાજુદા નવરાત્રિ મહોત્સવમાં પોલીસની સીટીમ પણ કાર્યરત રહેશે. તે ઉપરાંત અધિકારીઓએ સહિત 550 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહશે.

મોરબીના એસપી મુકેશકુમાર પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રિ અને શેરી ગરબા મળીને નાના મોટા કુલ 571 આયોજન કરવામાં આવ્યું છે જેના માટે 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 22 પીએસઆઈ અને 530 જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત રાખવામા આવેલ છે અને ખાસ કરીને નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યા ન થયા અને મહિલાઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામા આવશે અને નશાખોરો શખ્સોને પકડવા માટે કુલ 34 બ્રિ એનેલાઈઝર પોલીસ પાસે રહેશે. તેમજ મહિલા અને પુરુષ કર્મચારીઓ ખેલૈયાની જેમ તૈયાર થઈને જુદી જુદી જગ્યાએ નવરાત્રીમાં જશે અને નેત્રમ અંતર્ગત મૂકવામાં આવલે 120 જેટલા સીસીટીવી કેમેરા ઉપર પણ પોલીસ સતત વોચ રાખશે. આટલું જ નહીં 3 એન્ટી રોમિયો સ્ક્વોડ પણ નવરાત્રિ દરમ્યાન ખડેપગે રહેશે. અને બ્લેક ફિલ્મવાળા, મોડિફાઈડ સાયલેન્સર કે પછી નંબર પ્લેટ વગરના વાહન દેખાઈ તો તેના ફોટો પાડીને મોરબી પોલીસને આપવામાં આવશે તો પીએન કાર્યવાહી કરવામાં આવશે. તથા નવરાત્રિના આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા લાઇટિંગ સાથે કરવાની રહેશે.






Latest News