મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું


SHARE











વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા યુવાને અને ટંકારા તાલુકાના છતર ગામે રહેતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તે બંને યુવાનના મોત નીપજયાં હતા અને ત્યાર બાદ આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા નિકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (32) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર દરવાજો બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનની બીમારીમાં હતો અને તેની દવા ચાલી રહી હતી તેવામાં 15 દિવસ પહેલા યુવાનની માતાનું મૃત્યુ થયું હતું જેથી યુવાન વધુ ડિપ્રેશનમાં આવી જતા તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (45)એ મહેશભાઈ લીંબાસીયાના રહેણાંક મકાનમાં એક ઢાળિયામાં લાકડાની આડસમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી અરવિંદભાઈ લીંબાસીયાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.






Latest News