માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું


SHARE













વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા યુવાને અને ટંકારા તાલુકાના છતર ગામે રહેતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તે બંને યુવાનના મોત નીપજયાં હતા અને ત્યાર બાદ આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા નિકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (32) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર દરવાજો બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનની બીમારીમાં હતો અને તેની દવા ચાલી રહી હતી તેવામાં 15 દિવસ પહેલા યુવાનની માતાનું મૃત્યુ થયું હતું જેથી યુવાન વધુ ડિપ્રેશનમાં આવી જતા તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (45)એ મહેશભાઈ લીંબાસીયાના રહેણાંક મકાનમાં એક ઢાળિયામાં લાકડાની આડસમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી અરવિંદભાઈ લીંબાસીયાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.




Latest News