મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીમાં બાલાની ટેકનો પેક લી. ફેકટરીમાં આગ લાગતા તેનો વીમો એસ.બી.આઇ જનરલ ઇન્સ્યુ. નો વીમો હતો જો કે, વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી વિધુતના દબાણને કારણે આગ લાગી હોવાનુ કહી વીમો ના મંજુર કર્યો હતો જેથી તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ૧૨,૬૨,૮૧૩ રૂપિયા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ અને અન્ય ખર્ચના ૫૦૦૦ સાથે ચુકવવા વીમા કંપનીને ચૂકવવા માટે હુકમ કરેલ છે.

આ કેઇસની હકીકત એવી છે કે, બાલાજી ટકનોપેક લી. ના ભાગીદાર મીત આનંદભાઈ દેત્રોજા તેમા ભાગીદાર તેની ફેકટરી માં તા.૪/૦૧/૨૦૨૪ માં આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને તેઓએ વીમો એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુ. નો લીધેલ હતો. અને સમયસર તમામ કાગળો વીમા કંપનીને મોકલી આપેલ હતા તો પણ વીમા કંપનીએ કહેલ કે વધારે પડતુ વિધુત દબાણને કારણે આગ લાગી છે તેમ કહી રેપ્યુડ લેટરથી કલેઈમ ના મંજુર કરેલ જેથી મીતભાઈ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ કોર્ટ વીમા કંપનીનો નિર્ણય ભુલ ભરેલો છે અને તેની સેવામાં ખામી હોઈ બાલાજી ટેકનો પેક ને ૧૨,૬૨,૮૧૩ પુરા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ થી ચુકવવાનો હુકમ કરેલ છે સાથે અન્ય ખર્ચના ૫૦૦૦ મંજુર કરેલ છે અને જો સમય મર્યાદામાં રકમ ન ચુકવે તો ૯ ટકા લેખે ચુકવવાની રહેશે તેવો આદેશ કરેલ છે.




Latest News