મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના ભડીયાદ નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થઈ ગયા હતા જો કે, પ્રેમિકા સાથે તેના લગ્ન થયા ન હતા જેથી કરીને તેને લાગી આવતા આ યુવાને પોતે પોતાની જાતે રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ભડિયાદ નજીક આવેલ પેન્ઝોન શિરા નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર રહેતા પાલસિંગ બ્રિજરાજસિંહ (32) નામના યુવાને પોતે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના 6 મહિના પહેલા લગ્ન થયા હતા અને તેની પત્ની વતનમાં રહે છે જોકે, મૃતક યુવાનના લગ્ન તેની પ્રેમિકા સાથે થયા ન હતા જેથી તેને લાગી આવતા તે યુવાને લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના કોયલી ગામે રહેતો રોહિતભાઈ વેલજીભાઈ પંચાસરા (19) નામનો યુવાન પીઠળ અને પડાણા ગામ વચ્ચેથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન મહાદેવભાઇ દલવાડી (55) નામના મહિલા બાઇકમાં બેસીને જૂના ઘનાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે




Latest News