મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આજે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે રેલી યોજાઇ હતી અને ત્યારબાદ મોરબીના ન્યુ પેલેસ ખાતે મોમાઈ માતાના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું.

મોરબી સહિત સમગ્ર દેશની અંદર આજે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાતા હોય છે અને મોરબીમાં દર વર્ષે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી જય ભવાનીની નારા સાથે રેલી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ વાઘજી ઠાકોરની પ્રતિમા ખાતે ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જોડાયા હતા અને ત્યાર બાદ ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો સહિતના લોકો મોરબીમાં આવેલ ન્યુ પેલેસમાં આવેલ મોમાઇ માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજાની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોમાઈ માતાજીના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કર્યુ હતુ.






Latest News