મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીના ન્યુ પેલેસ ખાતે પ્રિન્સ ઓફ મોરબીની હાજરીમાં રાજપૂત સમાજનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આજે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે રેલી યોજાઇ હતી અને ત્યારબાદ મોરબીના ન્યુ પેલેસ ખાતે મોમાઈ માતાના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું.
મોરબી સહિત સમગ્ર દેશની અંદર આજે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાતા હોય છે અને મોરબીમાં દર વર્ષે જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી જય ભવાનીની નારા સાથે રેલી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ વાઘજી ઠાકોરની પ્રતિમા ખાતે ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જોડાયા હતા અને ત્યાર બાદ ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો સહિતના લોકો મોરબીમાં આવેલ ન્યુ પેલેસમાં આવેલ મોમાઇ માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પ્રિન્સ ઓફ મોરબી વિશાલઆદિત્યસિંહ જાડેજાની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોમાઈ માતાજીના મંદિર ખાતે શસ્ત્ર પૂજન કર્યુ હતુ.
